આજની સામાજિક વ્યવસ્થામાં એકલતા કેન્દ્રસ્થાને છે. વ્યક્તિ વિચારે છે કે મારે બીજાની
ચિંતા શા માટે કરવી ? આવી નકારાત્મક વિચારસરણીને કારણે બાળકો પોતાને મૂંઝવતી સમસ્યાઓ કોઇને કહી શકતા નથી અને
ગંભીર
પરિણામોનો ભોગ બને છે કેટલીક વાર આત્મહત્યા સુધી પણ પહોંચી જાય છે. બાળકો પોતાને પજવતી કોઇપણ
મુશ્કેલીની ચર્ચા મોકળા મને કરી શકે અને તેમાંથી બહાર નીકળી શકે તે માટે આ
કેન્દ્રની સ્થાપના કરવામાં આવી છે. વિદ્યાર્થી અભ્યાસ, કોર્સ, સ્કોલરશિપ, પાસ, વિષય પસંદગી કે અન્ય કોઇપણ સામાજિક,આર્થિક,
શૈક્ષણિક કે અન્ય બાબત માટે રાત્રે 8.30 થી 9.30 સુધી ફૉન કરીને માર્ગદર્શન મેળવી
શકે છે. જરુરી જણાય તો રુબરુ મુલાકાતનું આયોજન કરવામાં આવે છે. માસિક/ત્રિમાસિક/વાષિૅક કારકિર્દી માર્ગદર્શન સેમિનારોનું આયોજન કરવામાં આવે છે.
વિદ્યાર્થીઓની
સમસ્યાઓને દૂર કરવા ઘણી હાઇસ્કૂલો અને ગામમાં આવાં કેન્દ્રો શરું કરવામાં આવેલ છે. જેની યાદી અને માર્ગદર્શક
શિક્ષકશ્રીનાં નામ જોઇ શકાશે. અન્ય પૂછપરછ માટે ફૉન કરો ૯૮૨૪૬૮૯૧૯૨ (રાત્રે: રાત્રે
8.30 થી 9.30 )
- આપની હાઇસ્કૂલ/કૉલેજ/ગામમાં વિનામૂલ્યે સહાયતા કેન્દ્ર શરું કરવા નીચે ક્લીક કરી ફૉર્મ ભરો